દિલ્હી બ્લાસ્ટ કેસ: કોર્ટે અમીરની એનઆઇએ કસ્ટડી ૧૦ દિવસ લંબાવી, શોએબને પણ ૧૦ દિવસની કસ્ટડીમાં મોકલ્યો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં અમીર રશીદ અલીની રાષ્ટ્રીય તપાસ એજન્સી કસ્ટડી ૧૦ દિવસ માટે લંબાવી છે.

કોર્ટે શોએબને પણ આ જ કેસમાં ૧૦ દિવસ માટે એનઆઇએ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.એનઆઇએએ બે આરોપીઓ, શોએબ અને અમીર રશીદ અલીને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અંજુ બજાજ ચંદના સમક્ષ રજૂ કર્યા.