સુપ્રીમ કોર્ટે ૨૦૨૩ ના સાપના ઝેરના કેસમાં એલ્વિશ યાદવ સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરી

સુપ્રીમ કોર્ટે ૨૦૨૩ ના કુખ્યાત સાપના ઝેરના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરીને યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત આપી છે. નવેમ્બર ૨૦૨૩ માં, ઉત્તર પ્રદેશના નોઈડામાં એક કથિત રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાના આરોપો બાદ એલ્વિશ યાદવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૭ માર્ચ, ૨૦૨૪ ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપો એ હતા કે પાર્ટીઓમાં મનોરંજન અને નશા માટે સાપ અને તેમના ઝેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો છે.

ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને એન. કોટિશવર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૨(૨૩) હેઠળ ઉલ્લેખિત કથિત મનોરોગ પદાર્થ કાયદાના શેડ્યૂલમાં પણ શામેલ નથી. વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે એલ્વિશ યાદવ પાસેથી કોઈ જપ્તી કરવામાં આવી નથી, અને ચાર્જશીટમાં ફક્ત એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે એક સહયોગી દ્વારા આદેશ આપ્યો હતો. આ હકીકતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે ઠરાવ્યું હતું કે આ કેસમાં એનડીપીએસ એક્ટનો ઉપયોગ કાયદેસર રીતે અયોગ્ય હતો.

બીજા મહત્વપૂર્ણ પાસાં પર, કોર્ટે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની કલમ ૫૫ નો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદા હેઠળ કાર્યવાહી ફક્ત અધિકૃત અધિકારી દ્વારા ફરિયાદના આધારે શરૂ કરી શકાય છે. બેન્ચે જણાવ્યું હતું કે વર્તમાન એફઆઈઆર આ પ્રક્રિયાને અનુસરતી નથી અને તેથી તેને કાયદેસર ગણી શકાય નહીં.

વધુમાં, કોર્ટે નોંધ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળના આરોપો સ્વતંત્ર રીતે સ્થાપિત નથી કારણ કે તે અગાઉની ફરિયાદનો ભાગ હતા જે પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી.આ બધા કાનૂની આધારોના આધારે, સુપ્રીમ કોર્ટે તારણ કાઢ્યું કે ન્યાયિક ચકાસણીની કસોટી પર ખરી ઉતરતી નથી અને તેને રદ કરવી જાઈએ. જા કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેણે કેસના તથ્યો અથવા આરોપોના ગુણદોષ પર કોઈ ટિપ્પણી કરી નથી.

મહત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટે સક્ષમ અધિકારીને કાયદા હેઠળ, ખાસ કરીને વન્યજીવન સંરક્ષણ અધિનિયમની કલમ ૫૫ હેઠળ યોગ્ય પ્રક્રિયાને અનુસરીને, નવી ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવાની સ્વતંત્રતા પણ આપી હતી. પાછલી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જા લોકપ્રિય હસ્તીઓ સાપ જેવા અવાજહીન પ્રાણીઓનો આ રીતે ઉપયોગ કરે છે, તો તે સમાજને ખોટો સંદેશ મોકલી શકે છે. કોર્ટે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે શું કોઈને પ્રાણી સંગ્રહાલયમાં જઈને પ્રાણીઓ સાથે રમવાની મંજૂરી આપી શકાય છે, અને શું આ કાયદાનું ઉલ્લંઘન નથી.

એલ્વિશ યાદવનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે તેઓ ગાયક ફાઝિલપુરિયાના વીડિયો શૂટ માટે આમંત્રણ પર પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે રેવ પાર્ટીના નક્કર પુરાવા નથી કે ન તો ડ્રગના ઉપયોગના પુરાવા છે. લેબ રિપોર્ટનો ઉલ્લેખ કરીને, તેણીએ દાવો કર્યો હતો કે મળી આવેલા નવ સાપ બિનઝેરી હતા અને એલ્વિશ ઘટનાસ્થળે હાજર નહોતા.

બીજી બાજુ, રાજ્યએ દલીલ કરી હતી કે પોલીસે ઘટનાસ્થળેથી પાંચ કોબ્રા સહિત નવ સાપ જપ્ત કર્યા છે અને તેમાં સાપના ઝેરના નિશાન પણ હતા. કોર્ટે રાજ્ય સરકારને એ પણ પૂછ્યું હતું કે સાપનું ઝેર કેવી રીતે કાઢવામાં આવે છે અને પાર્ટીઓમાં તેનો કથિત રીતે ઉપયોગ કેવી રીતે થાય છે.