ગુજરાતથી કુંજપુરી જઈ રહેલા ૨૯ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ અકસ્માતમાં પાંચ લોકોના મોત

તેહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માત થયો. બસ કુંજપુરી મંદિરના દર્શન માટે ગુજરાતથી ૨૯ મુસાફરોને લઈ જઈ રહી હતી. અકસ્માતના સમાચાર મળતાં, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ.

સોમવારે બપોરે, ટિહરીના જિલ્લા નિયંત્રણ ખંડે જીડ્ઢઇહ્લ બટાલિયન કંટ્રોલ રૂમને જાણ કરી કે નરેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કુંજપુરી-હિંદોળાખલ નજીક એક બસ ૭૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઈ છે. બસમાં ૨૯ લોકો સવાર હોવાનું માનવામાં આવે છે.એસડીઆરએફ કમાન્ડર અર્પણ યાદવની સૂચનાને પગલે, પોસ્ટ ધલવાલા, પોસ્ટ કોટી કોલોની અને એસડીઆરએફ બટાલિયન હેડક્વાર્ટરથી કુલ પાંચ એસડીઆરએફ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ.

સ્થાનિક રહેવાસીઓએ પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બસમાંથી ઘાયલોને બચાવવાનું શરૂ કર્યું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી બ્રિજેશ ભટ્ટે જણાવ્યું કે અકસ્માતમાં ચાર પુરુષો અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. ત્રણ ઘાયલોને ૠષિકેશના એઈમ્સ અને ચારને નરેન્દ્રનગરના શ્રીદેવ સુમન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તર લોકો સુરક્ષિત છે.