
અમરેલીમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અમરેલીમાં એક એક્ટિવા નિર્માણાધીન અંડરપાસ પર પાણી ભરાયેલા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માત થતાં મયરાત્રિએ ફોન આવતા ફાયર ફાઇટરોએ ત્રણ મુસાફરોને રેસક્યું કરીને બચાવ્યા અને તેમને સારવાર માટે લઈ ગયા છે. જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે હાલમાં સારવાર લઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે આશી સતાર સેલોત બે મહિલાઓ સાથે પોતાનું એક્ટિવા ચલાવી રહ્યા હતા ત્યારે અમરેલીના લીલીયા રોડ પર બાંધકામાધીન અંડરપાસ પર પાણી ભરાયેલા ખાડામાં પડી ગયું હતું.
અકસ્માતના સમાચાર મળતાં, ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મયરાત્રિએ ઠંડીનો સામનો કરતા ફાયર ફાઇટરોએ બાંધકામાધીન અંડરપાસના પાણી ભરાયેલા ખાડામાં ઉતરીને ત્રણેય વ્યક્તિઓને બચાવી લીધા હતા અને તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશી સતાર સેલોતનું મૃત્યુ થયું છે. બે ઘાયલ મહિલાઓ હજુ પણ સારવાર હેઠળ છે, અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
બે દિવસ પહેલા, ૬ જાન્યુઆરીના રોજ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા અને માધુપુર વચ્ચે એક ગંભીર ત્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં એક મોટરસાઇકલ, નારિયેળ ભરેલી રિક્ષા અને એક આઇશર ટ્રકનો સમાવેશ થતો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વ્યક્તિઓના તાત્કાલિક મોત થયા હતા.