શું સપા જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

રામ મંદિરના પ્રસાદની ચોરીના વિવાદ વચ્ચે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા. અહીં, મુખ્યમંત્રી યોગીએ ૪૩૨ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્‌સના ઉદ્ઘાટન/શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. જનતાને સંબોધન દરમિયાન, સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર જારદાર નિશાન સાધ્યું. આકરા પ્રહારો કરતા, સીએમ યોગીએ પ્રશ્ન કર્યો કે સમાજવાદી પાર્ટી (એસપી) એ હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવાનું પાપ કર્યું છે.

શું તેઓ જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકશે? સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યાના વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે તેઓએ હનુમાનગઢીના પગથિયાં પર નમાજનું આયોજન કર્યું હતું.

સીએમ યોગીએ અયોધ્યાના લોકોને પૂછ્યું કે શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. અયોધ્યામાં એક જાહેર સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું, “અયોધ્યા લાંબા સમયથી અવગણવામાં આવ્યું છે. આજે જે લોકો ભક્તિની વાત કરે છે તેઓએ જ હનુમાનગઢીના પગથિયાં પર નમાજનું આયોજન કર્યું હતું. શું કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી ક્યાંરેય જામા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરી શકશે? તો પછી તેઓએ આ પાપ કેમ કર્યું?” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં કહ્યું,

“આજે લાખો લોકો અયોધ્યાની મુલાકાત લે છે. તેમણે (સમાજવાદી પાર્ટી) હનુમાનગઢીના પગથિયાં પર નમાજ પઢવા માટે લોકોને પ્રોત્સાહિત કરીને પાપ કર્યું છે. પરંતુ અમે અયોધ્યાને એક નવી ઓળખ આપી છે. આજે, અયોધ્યા રોડ, રેલ અને હવા દ્વારા જાડાયેલ છે.” સપા-કોંગ્રેસ પર નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું, “સપાએ રામ ભક્તો પર ગોળીબાર કર્યો હતો. કોંગ્રેસે રામના અÂસ્તત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. સપા-કોંગ્રેસે અયોધ્યા માટે ઓળખનું સંકટ ઊભું કર્યું હતું. સપા-કોંગ્રેસ વિકાસ લાવી શક્્યા નહીં, તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે.”