સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટિંગ હંમેશા અમારા માટે ચિંતા નો વિષય રહૃાો છે,સલમાન આગા

ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં પાકિસ્તાની ટીમની સફર સુપર ૮ મેચો સાથે સમાપ્ત થઈ, જેમાં તેઓ સેમિફાઇનલમાં સ્થાન મેળવી શક્યા નહીં. ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગાએ એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે.

જ્યારે પાકિસ્તાની ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં રમવા માટે પહોંચી, ત્યારે બધાને અપેક્ષા હતી કે તેઓ સેમિફાઇનલમાં પહોંચશે, પરંતુ તેમની સફર સુપર ૮ માં સમાપ્ત થઈ. પાકિસ્તાને સુપર ૮ માં પોતાની છેલ્લી મેચ યજમાન શ્રીલંકા સામે રમી હતી, જ્યાં તેઓ ૫ રનથી જીત મેળવવામાં સફળ રહૃાા હતા, પરંતુ નબળા નેટ રન રેટને કારણે તેઓ ન્યુઝીલેન્ડથી પાછળ રહી ગયા અને સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહૃાા. ટુર્નામેન્ટના સમાપન પછી, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે બાબર આઝમ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.

શ્રીલંકા સામેની મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા સલમાન અલી આગાએ કહૃાું, “મને લાગે છે કે અમે આખી ટુર્નામેન્ટ દૃરમિયાન સારી બેિંટગ કરી શક્યા નથી. ફક્ત સાહિબજાદૃા ફરહાન જ યોગદૃાન આપી શક્યા હતા, અને તેમણે ખૂબ સારું પ્રદૃર્શન કર્યું. પરંતુ જો બીજા કોઈએ તેમને થોડી વધુ મદૃદૃ કરી હોત, તો વાર્તા અલગ હોત. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેિંટગ હંમેશા અમારા માટે િંચતાનો વિષય રહી છે, ખાસ કરીને મિડલ ઓર્ડર, જે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા માટે એક મોટી સમસ્યા રહી છે. અમારે હવે બેસીને તે વિભાગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જ‚ર છે.” અમે આ મેચની છેલ્લી બે ઓવરમાં ફક્ત ૧૪ રન જ બનાવી શક્યા અને પાંચ વિકેટ ગુમાવી. અમે મેચને અમારી ઇચ્છા મુજબ પૂર્ણ કરી શક્યા નહીં.

જ્યારે પાકિસ્તાને આ ટી ૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી, ત્યારે બાબર આઝમને તેમાં સામેલ કર્યા બાદ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. બાબર આઝમ આ ટુર્નામેન્ટની મોટી મેચોમાં બેટથી સારું પ્રદૃર્શન કરવામાં નિષ્ફળ ગયો, જેમાં શ્રીલંકા સામેની મહત્વપૂર્ણ સુપર ૮ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવાનો પણ સમાવેશ થાય છે. બાબર ઉપરાંત, પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આગા, જે મિડલ ઓર્ડરમાં રમ્યો હતો, તે પણ ટુર્નામેન્ટમાં બેટથી નોંધપાત્ર યોગદૃાન આપવામાં નિષ્ફળ ગયો.