
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયક અને છેલ્લા ૨૦ વર્ષથી ગોવામાં રહેતા વીર ચક્ર પુરસ્કાર વિજેતા એડમિરલ અરુણ પ્રકાશને ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી છે. નોટિસમાં તેમને તેમની ઓળખ ચકાસવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
દક્ષિણ ગોવાના જિલ્લા કલેક્ટર અને રિટનગ ઓફિસર અગાના ક્લીટસના જણાવ્યા અનુસાર, એડમિરલ પ્રકાશનું નામ અનમેપ્ડ શ્રેણીમાં આવે છે, કારણ કે તેમની વિગતો ૨૦૦૨ થી અપડેટ કરાયેલ મતદાર યાદીમાં હાજર નહોતી.
ભૂતપૂર્વ નૌકાદળના વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે સમજાવ્યું કે તેમના અને તેમની પત્નીના નામ પહેલાથી જ ગોવા ડ્રાટ મતદાર યાદી ૨૦૨૬ માં દેખાય છે, છતાં તેમને નોટિસ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો વર્તમાન એસઆઇઆર ફોર્મ જરૂરી માહિતી એકત્રિત કરવામાં સક્ષમ નથી, તો તેમાં સુધારો કરવો જોઈએ.
૮૨ વર્ષીય એડમિરલે સમજાવ્યું કે તેમને અને તેમની ૭૮ વર્ષીય પત્નીને ૧૮ કિલોમીટર દૂર અલગ અલગ તારીખે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે, જે તેમની ઉંમરે શક્ય નથી. તેમણે કહ્યું કે તેઓ કોઈ ખાસ વિશેષાધિકારો મેળવવા માંગતા નથી અને કમિશનની સૂચનાનું પાલન કરશે.
આ સમાચાર સામે આવ્યા પછી, ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. નિવૃત્ત લેટનન્ટ કર્નલ ટી.એસ. આનંદ અને અન્ય વપરાશર્ક્તાઓએ દલીલ કરી હતી કે સરકાર પાસે પહેલાથી જ એડમિરલનો પીપીઓ (પેન્શન ચુકવણી ઓર્ડર) અને જીવન પ્રમાણપત્ર તેના ડેટાબેઝમાં છે. તેથી, ઓળખ થોડા કીસ્ટ્રોકથી થઈ શકી હોત.
ઘણા લોકો માને છે કે આવા વરિષ્ઠ અધિકારી અને યુદ્ધ નાયકના કિસ્સામાં, એસઆઈઆર ટીમે તેમને ઓફિસમાં બોલાવવાને બદલે ચકાસણી કરવા માટે તેમના ઘરે જવું જોઈતું હતું. જિલ્લા કલેક્ટર અગ્નિયા ક્લીટસે કહ્યું છે કે તેઓ સોમવારે એડમિરલના મત ગણતરી ફોર્મની સમીક્ષા કરશે અને અધિકારીઓ તેમનો વ્યક્તિગત સંપર્ક કરશે.