સુપ્રીમ કોર્ટ ૧૭ ડિસેમ્બરે દિલ્હી-એનસીઆરમાં ગંભીર વાયુ પ્રદૂષણ સંબંધિત અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં સતત વધતા વાયુ પ્રદૂષણ સ્તર સંબંધિત અરજી પર સુનાવણી માટે ૧૭ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે એક અસરકારક આદેશ જારી કરશે જે લાગુ કરી શકાય.

સુપ્રીમ કોર્ટ ગીતાંજલિ જે. એંગ્મોની અરજી પર સુનાવણી કરશે. ગીતાંજલિ જેલમાં બંધ આબોહવા કાર્યર્ક્તા સોનમ વાંગચુકની પત્ની છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ તેમની અટકાયતને સરકારની શક્તિનો મનસ્વી ઉપયોગ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર પણ સુનાવણી કરશે. આ અરજી વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ વિવેક તંખા દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ સાથે સંબંધિત છે.

સુપ્રીમ કોર્ટ ફલોદી અકસ્માત કેસ સંબંધિત સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે. વધુમાં, સુપ્રીમ કોર્ટ ઓટીઝમ ધરાવતા વ્યક્તિઓની સલામતી માટે માર્ગદશકા ઘડવા માટે નિષ્ણાત પેનલની રચના સંબંધિત અરજી પર સુનાવણી કરશે.