
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે દેશભરની તમામ ઉચ્ચ અદાલતોને ઓનલાઈન સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે, જેમાંથી મોટાભાગની અદાલતોએ આનો અમલ કરી દીધો છે. એક વકીલે દિલ્હીની તમામ અદાલતોમાં ઓનલાઈન સુનાવણીની માંગ કરતી અરજી દાખલ કરી.
સીજેઆઇ સૂર્ય કાંતે કહ્યું કે તેમણે મુખ્ય ન્યાયાધીશોને ઓનલાઈન સુનાવણીની મંજૂરી આપવા વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું કે મોટાભાગની હાઈકોર્ટો પહેલાથી જ તેનો અમલ કરી ચૂકી છે. તેમણે ભાર મૂક્યો કે આ બાર અને બેન્ચ બંને માટે સ્વૈચ્છિક પ્રથા હોવી જાઈએ. એક વકીલે રાષ્ટ્રીય હિતમાં ત્રણ મહિના માટે તમામ જિલ્લા અદાલતોમાં ઓનલાઈન સુનાવણીની માંગ કરી હતી. સીજેઆઇએ સ્પષ્ટ કર્યું કે જિલ્લા અદાલતો હાઈકોર્ટના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેમણે જિલ્લા અદાલતો માટે ઓનલાઈન સુનાવણીની પણ વિનંતી કરી.
સોમવારે,સીજેઆઇ સૂર્યકાન્તે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે હાઈકોર્ટોને સોમવાર અને શુક્રવારે ઓનલાઈન સુનાવણી કરવા વિનંતી કરી. ૧૫ મેના રોજ, સુપ્રીમ કોર્ટે સોમવાર અને શુક્રવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી કરવાનો નિર્ણય લીધો. ન્યાયાધીશોએ ઈંધણના વપરાશને શ્રેષ્ઠ બનાવવા માટે કારપૂલિંગને પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય લીધો. આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખર્ચ ઘટાડવાની અપીલ પછી આવ્યું.