ઝાલોદ પોલીસ સ્ટેશનમાં રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઝાલોદ, તારીખ 17-04-2024 ગુરૂવારના રોજ રામનવમીનો ઉત્સવ સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ ઉત્સવને અનુરૂપ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરમાં સદભાવના સાથે ભાઈચારો જળવાઈ રહે તે માટે ઝાલોદ નગરના પી.એસ.આઇ એમ.એમ.માળીની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ દ્વારા આયોજક સમિતિ પાસે શાંતિ જળવાઈ રહે તે રીતે શોભાયાત્રા કાઢવા માટે કહેવાયું તે અંતર્ગત સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે શોભાયાત્રા કાઢવાની બાંહેધરી આપવામાં આવી હતી.