ઝાલોદના મીરાખેડી ગામે તસ્કરોએ બે મકાનો માંથી 48 હજારની મત્તાની ચોરી કરી

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે કાટસ ફળીયામાં ત્રાટકેલા તસ્કરોએ જુદા જુદા બે મકાનોને નિશાન બનાવી બે મકાનોમાંથી મળી કુલ રૂપિયા 48 હજાર ઉપરાંતની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.

ઝાલોદ તાલુકાના મીરાખેડા ગામે કારસ ફળીયામાં ગતરાતે ત્રાટકેલ તસ્કરોએ કારસ ફળીયામાં રહેતા નરેશભાઈ દીતાભાઈ ડાંગી તથા છગનભાઈ સુરસીંગભાઈ મહીડાના ઘરને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ નરેશભાઈ દીતાભાઈ ડાંગીના ઘરમાં ઘુસીને તિજોરીમાં મૂકેલ રૂા. 11,500ની રોકડ તથા સોના- ચાંદીના મળી કુલ રૂપિયા 20,000ની મત્તાનો હાથફેરો કર્યા બાદ તસ્કરોએ છગનભાઈ સુરસીંગભાઈ મહિડાના ઘરમાં ઘુસી ઘરમાંથી 28,750 ની કુલ કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હતા. તસ્કરોએ આમ રૂપિયા 48,750ની કુલ મત્તાનો બંને ઘરમાંથી હાથફેરો કર્યો હતો.

આ સંબંધે મીરાખેડી ગામના કારસ ફળિયામાં રહેતા નરેશભાઈ દીતાભાઈ ડાંગીએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.