ઝાલોદ મામલતદાર કચેરીમાં 7/12 અને 8/અ ની નકલ મેળવવા આમ જનતાને હાલાકી

  • કચેરીનો સંપર્ક કરાતા આખાં ગુજરાતમાં ટેકનિકલ ખામીને લઈ નકલો નથી નીકળતી એવું જાણવા મળ્યું.

ઝાલોદ, ઝાલોદ મામલતદાર કચેરી ખાતે 7/12 અને 8/અ ની નકલ મેળવવા આવનાર જાહેર જનતાને છેલ્લા બાર થી પંદર દિવસથી ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે. ગ્રામીણ વર્ગના લોકો સવારથી મામલતદાર કચેરી ખાતે આ નકલો લેવા આવી જતાં હોય છે. છેલ્લા બાર થી પંદર દિવસ થી સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે આખાં ગુજરાતમાં આ સમસ્યા છે તેવું અહીં તપાસ કરતા માલુમ પડેલ છે. પણ જો જવાબદાર અધિકારી તંત્રનો સંપર્ક સાધી ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે એની જો ચોક્કસ તારીખ જાહેર નોટિસમાં મૂકી દે તો આવનાર ગ્રામીણ પ્રજાને પોતાની મજૂરીના રૂપિયા વ્યર્થ બગાડવા ન પડે. આ અંગે તાત્કાલિક જવાબદાર તંત્ર આ અંગે ધ્યાન આપે તો ગ્રામીણ વિસ્તાર માંથી આવતી ગરીબ પ્રજાના રૂપિયા ન બગડે.