ઝાલોદ ખોડિયાર માતા મંદિર પાસે ગેરકાયદેસર થતાં બાંધકામ અટકાવવા અંગે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા નગર પાલિકાને અરજી આપવામાં આવી

ઝાલોદ,ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખોડિયાર માતા મંદિરની બાજુમાં થતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે નગરપાલિકામાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચીફ ઓફિસર તેમજ વહીવટદારને લગતું એક આવેદનપત્ર આજ રોજ 21-04-2023 શુક્રવારના રોજ આપવામાં આવ્યું હતું.

ખોડિયાર માતા મંદિર પાસે સીટી સર્વે નંબર 1473 પૈકીમાં કાળુશાહ અમીરશાહ દિવાન (ફકીર)ના મકાનો આવેલ છે. તેઓ દ્વારા સીટી સર્વે નકલમા આપેલ માપ અને નકશા પ્રમાણે તેઓ દ્વારા વધારાનું બાંધકામ કરવામાં આવી રહેલ છે. જેથી આ ગેરકાયદેસર થતું બાંધકામ અટકાવી બંધ કરાવવા અંગે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મનીષ પંચાલ અને જીતેન્દ્ર પરમાર દ્વારા અરજી કરવામાં આવેલ છે.