દાહોદ,
હોળી બાળવાના બાકી રહેલા લાકડાોમાં આગ લગાડવાના મામલે ઝાલોદ તાલુકાના ડાઢાગોળા ગામે તળાવ ફળિયામાં હોળીના દિવસે રાતે થયેલ ઝઘડામાં લાકડી તથા કુહાડી જેવા મારક હથિયારો ઉછળતા ચાર જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થયાનું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના ચોરા ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ નટુભાઈ કટારા હોળી બળવાના બાકી રહેલ લાકડાઓમાં આગ લગાડી રહ્યા હતા. તે વખતે તેના ગામના નરસીંગ થાવરાભાઈ ડામોર આવીને વિષ્ણુભાઈને કહેવા લાગ્યો હતો કે, તુ હોળીમાંથી શુ કાઢે છે ? ઊ જેથી વિષ્ણુભાઈએ કહેલ કે, હું સળગાના બાકી રહેલા લાકડાને સળગાવું છું તમે આવુ કેમ કહો છો ? આ સાંભળી નરસીંગ થાવરાભાઈ ડામોર એકદમ ઉશ્કેરાયો હતો અને તું ંમારી સામે બોલવાવાળો કોણ તેમ કહી બેફામ ગાળો બોલી વિષ્ણુભાઈને લાકડી મારવા જતાં તેમના કુટુંબી મિતેશભાઈ સુરમલભાઈ કટારા આગળ આવી જતાં મિતેશભાઈને લાકડી વાગતાં શરીરે ઈજા થવા પામી હતી. તે દરમ્યાન વિક્રમભાઈ કટારાના કાકા મતીયાભાઈ ટીટાભાઈ કટારા વચ્ચે પડતાં તેને મનેશ નરસીંગ ડામોર તથા માનુભાઈ નરસીંગ ડામોરે ગડદાપાટુનો મારમારતાં વિક્રમભાઈ કટારા વચ્ચે પડતાં તેને લાકડી મારી પગે ઈજા કરી કપાળના ભાગે કુહાડી મારી, અતિ ગંભીર ઈજા કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે ટાઢાગોળા ગામના ચોરા ફળિયામાં રહેતા વિક્રમભાઈ રસુભાઈ ટીટાભાઈ કટારાએ તેમના ગામના નરસીંગભાઈ થાવરાભાઈ ડામોર, મનેષ નરસીંગભાઈ ડામોર તથા માનુભાઈ નરસીંગભાઈ ડામોર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદને આધારે ચાકલીયા પોલીસે ઈપિકો કલમ 326, 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.