ઝાલોદ કોલેજના આચાર્યનું માર્ગદર્શક વ્યાખ્યાન યોજાયું

ઝાલોદ, શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પોલીસ અને પી.એસ.આઈની પરીક્ષા માટે ગઈઈ વિભાગ તરફથી આચાર્ય મધુકર પટેલ, ડો.એ.આર.મોદી દ્વારા માર્ગદર્શન આપતાં વ્યાખ્યાન યોજવામાં આવ્યા. આ વ્યાખ્યાનમાં ડો. બી.એમ.ગોહિલ અને અનિલભાઈ ડામોર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન લેફટ.ડો અજિતસિંહ પરમારે કર્યું હતું .આ વ્યાખ્યાનમાં NCC,NSS અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.