ઝાડીમાંથી ભ્રુણ મળતા ચકચાર : પાલનપુરના દિલ્હીગેટ નજીકનો બનાવ

પાલનપુર,પાલનપુરમાંની મમતાને લાંછન લગાવતી ઘટના આવી સામે આવી છે. જેમાં પાલનપુર શહેરના દિલ્હીગેટ નજીક કબ્રસ્તાન પાસેથી મૃત ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઝાડીમાંથી મૃત હાલતમાં નવજાત ભૃણ જોવા મળતા ઘટનાને લઇ લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. બનાવની જાણ પોલીસને કરાતા પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી કૃત્ય કરનારને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર દિલ્હી ગેટ વિસ્તાર નજીક આવેલા કબ્રસ્તાન પાસેથી મૃત હાલતમાં એક ભ્રૂણ મળી આવ્યું છે. અહીંથી પસાર થતાં કોઈ ઇસમની નજર પડતા જ પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરી હતી. જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પાલનપુર પૂર્વ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પીઆઇ એસ કે પરમારે જણાવ્યું હતું કે ભ્રુણને લઇ તપાસ ચાલુ છે તેનું પીએમ કરાવી રહ્યા છીએ. જેના DNA  પણ લેશુ અત્યારે શોધખોળ ચાલુ છે જેનો આઇપીસી ૩૧૮ મુજબ ગુનો નોંયો છે.