યુટ્યુબરે વ્યુઝ વધારવા અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ અંગે પીએમ, સંરક્ષણ પ્રધાનના નકલી દસ્તાવેજો બનાવી પ્રસારિત કર્યા 

સીબીઆઈએ એક સ્વઘોષિત તપાસકર્તા સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આરોપ છે કે તેણે અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ અંગે યુટ્યુબ પરના એક વીડિયો દ્વારા સનસનાટી મચાવી પોતાના દાવાને સમર્થન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના મહાનુભાવોની નકલી દસ્તાવેજો ઊભા કર્યા હતા.  

ગયા વર્ષે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મુંબઈ સ્થિત વકીલ ચાંદની શાહની ફરિયાદ બાદ ભુવનેશ્વર સ્થિત દીપ્તિ આર પિનીતિ અને તેના વકીલ ભરત સુરેશ કામથ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ મામલો એજન્સીને મોકલવામાં આવ્યો હતો.

ચાંદની શાહે આક્ષેપ કર્યો હતો કે પિનીતિએ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીના પત્રો, સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત દસ્તાવેજો અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારના રેકોર્ડ સહિત અનેક નકલી દસ્તાવેજો બનાવ્યા હતા, જે બનાવટી હોવાનું જણાયું હતું.  શ્રીદેવી અને સુશાંત સિંહ રાજપૂત જેવા બોલિવૂડ કલાકારોના મૃત્યુ પર સોશિયલ મીડિયા ચર્ચાઓમાં પિનીતિ સક્રિય સહભાગી રહી છે. 

શ્રીદેવીનું નિધન ફેબ્રુઆરી 2018માં દુબઈ, UAEમાં થયું હતું.શ્રીદેવીના મૃત્યુ અંગે, પિન્નિતીએ તેમની ‘તપાસ’ પર આધારિત એક ઈન્ટરવ્યુમાં સનસનાટીભર્યા દાવા કર્યા હતા જેમાં ‘બંને સરકારો વચ્ચે કવર-અપ’નો સમાવેશ થાય છે.

ગયા વર્ષે પિનીતિ સામે એફઆઈઆર નોંધ્યા પછી, સીબીઆઈએ 2 ડિસેમ્બરે ભુવનેશ્વરમાં તેના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું, ફોન અને લેપટોપ સહિતના ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સીબીઆઈના રિપોર્ટ અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે યુટ્યુબ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન અને રક્ષા મંત્રી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો ’બનાવટી’ હતા.

સીબીઆઇએ પિનીતિ અને કામથ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ 120-બી (ગુનાહિત કાવતરું), 465, 469 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈની વકીલ ચાંદની શાહે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, “શંકાસ્પદ દીપ્તિ પિન્નિતીએ શ્રીદેવીના મૃત્યુના મામલામાં સરકાર પર વારંવાર વિચિત્ર આરોપો લગાવીને વર્તમાન સરકારની છબી ખરાબ કરી છે.”