વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ અંતર્ગત ઝાલોદ પ્રખંડનું હિન્દુ સંમેલન યોજાયું

વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા દ્વારા ષષ્ટિપૂર્તિ સમારોહ અંતર્ગત ઝાલોદ પ્રખંડનું હિન્દુ સંમેલન યોજાયું. જેમાં અનુસૂચિત જાતિના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને મુંબઈના દાતા વાડીલાલ યુ. દોશી જૈન પરિવાર તરફથી મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું. ઝાલોદ તારીખ,11 વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ દ્વારા હિન્દુ સંમેલન અને ગણવેશ વિતરણનો કાર્યક્રમ શિક્ષક સોસાયટીના મકાનમાં ઝાલોદ ખાતે ખાતે જીલ્લા સેવા પ્રમુખ RSS ભરતભાઈ જાંગીડ, દાહોદ જીલ્લાના અધ્યક્ષ સ્થાને તથા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ઝાલોદના પ્રમુખ દિનેશભાઈ ભૂનાતરના અતિથિ વિશેષ સ્થાને તેમજ વિશેષ ઉપસ્થિતિ કે.જી.પટેલ પદે, તેમજ ડો. ગિરીશભાઈ નળવાયા કેન્દ્રીય ટ્રસ્ટી મંડળના સદસ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ તેમજ પંચમહાલ વિભાગ સહ મંત્રી કિરણસિંહ ચાવડા, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ સોની જીલ્લા સહમંત્રી કમલેશભાઈ ગુજજર અને જીલ્લા સહમંત્રી રાહુલભાઈ જોધા રાઠોડની પ્રેરકઉપસ્થિતિમાં તારીખ 11/ 9 /24 ના મંગળવારે બપોરે 2:00 વાગે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરિષદની કાર્ય પદ્ધતિ મુજબ શરૂઆત અને પુર્ણાહુતિ કરવામાં આવી. આ પ્રસંગે ઝાલોદના ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના કુમાર ક્ધયા કુલ 105 પૈક 95 બાળકોને મુંબઈના દાતા માન વાડીલાલ યુ. દોશી જૈન પરિવાર તરફથી ગણવેશ આપવામાં આવ્યો હતો. આ વિતરણ વ્યવસ્થા કૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જામ્બુવા તથા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ જામ્બુવા અને દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે બી.આર.સી કો-ઓર્ડીનેટર ભરતકુમાર મુનિયા અને સીઆરસી કો-ઓર્ડીનેટર ભમાત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવોએ સન્માન્ય પ્રવચન કર્યું હતું.

અનુસૂચિત જાતિ કેળવણી મંડળ, સમાજના બાબુભાઈ ભૂનાતર રામચંદભાઈ, ભૂનાતર, કર્મશીલ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં વક્તા ડો. ગીરીશભાઈ નળવાયા એ જય શ્રીરામ, હિંદુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે 1964માં મુંબઈના ચાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્વિતીય સર સંઘ સંચાલક પૂ.ગુરૂજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મ કે કા શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.

આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જન જાગરણ થકી વિહિપ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ- લેન્ડ જેહાદ વિરૂદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજીક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63, હજાર કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહીપ એ વિશ્વ ના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે. સંવત 2080 શ્રાવણ વદ આઠમ કૃષ્ણ જન્માષ્ટમી નારોજ સૌ હિંદુઓની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા, જેથી ષષ્ટિપૂર્તિ સમારોહ યોજવામાં આવ્યો હતો.