વિરપુર તાલુકાની પંચાયતની 18 બેઠકો દીઠ કોંગ્રેસ દ્વારા મંડળોની રચના કરાઈ

વિરપુર, વિરપુર તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અઘ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઈ હતી. જેમાં 121 વિધાનસભા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અજીતસિંહ ચોૈહાણ, જિલ્લા મહામંત્રી અશ્ર્વિનસિંહ પુવાર, ચતુરભાઈ પી.માયાવંશી, મુકેશભાઈ માયાવંશી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહજી પરમાર, કિસાન મોરચા પ્રમુખ દિશેનભાઈ પટેલ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિરપુર તાલુકા પંચાયતની 18 સીટ દીઠ કોંગ્રેસ દ્વારા મંડળોની રચના કરવામાં આવી હતી. તેમજ વિરપુર જિલ્લા પંચાયતની 3 સીટ દીઠ પ્રમુખ, પ્રભારી, સહપ્રભારીની નિમણુંક કરવામાં આવી હતી. વિરપુર રતનકુવાના અગ્રણી અંબાલાલ પટેલને જિલ્લા પ્રમુખના હસ્તે ખેસથી આવકારવામાં આવ્યો હતો. તેમજ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાઈને ખેસ ધારણ કર્યો હતો.