વીરપુર તાલુકામાંં ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં 10 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

વીરપુર, આગામી આવનારી લોકસભાની ચૂંટણી પર્વ નિમિત્તે આજરોજ વીરપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે 121 વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આમ આદમી ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ યોજાઈ. જેમાં વીરપુર તાલુકાના 10 જેટલા કાર્યકરો ભાજપને અલવિદા કહી લોકશાહી બચાવવા કોંગ્રેસના પંજાનો ખેસ પહેરી વિધિવત જોડાયા. જેમાં વીરપુર તાલુકા આમ આદમી ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો તેમજ વોરપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ, યુવા પ્રમુખ તેમજ તાલુકા/જીલ્લા મહામંત્રી તેમજ કોંગ્રેસ પક્ષના સનિષ્ટ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.