વિરપુરના રતનકુવા કેશવ ગૌશાળા ખાતે ધારાસભ્યએ મુલાકાત લીધી

વિરપુર,વિરપુર તાલુકાના રતનકુવા ગામ ખાતે આવેલી કેશવ ગૌશાળા ખાતે 122-લુણાવાડા,121-બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યએ મુલાકાત લીધી હતી.

મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના રતનકુવા ખાતે આવેલ કેશવ ગૌશાળા ખાતે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય અને પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તેમજ બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સહિતના આગેવાનો કેશવ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન કેશવ ગૌશાળાની ગૌવ માતાની પૂજા અર્ચના કરી આર્શીવાદ લીધા હતા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ, મહિસાગર કોંગ્રેસ જીલ્લા મહામંત્રી નારણભાઈ પટેલ, જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય નટુભાઈ પરમાર, વિરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથુસીંહ પરમાર,વિરોધ પક્ષના નેતા અદનાનખાન પઠાણ સહિતના કોંગ્રેસના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.