વિરપુર, બાલાસિનોર એસ.ટી.ડેપોમાં આવતા વિરપુર તાલુકાની છેલ્લા 20 વર્ષથી ધોળી ધાટડા પાસે ચલાવવામાં આવતી હતી. બસમાં પુરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો. તેની સાથે વધારે આવક ધરાવતી આ બસ હતી. તેમ છતાં આ બસ યેનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના 10થી વધારે ગામડાઓના મુસાફરો રઝળી પડ્યા છે.
બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા વિરપુર તાલુકાના મુસાફીરોને સગવડતાના ભાગરૂપે છેલ્લા 20 વર્ષથી ધોળી ધાટડા બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ બસ સેવા દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં બંધ કરી દે છે. જેના લીધે તાલુકાના 10 જેટલા ગામોના મુસાફરોને અવર જવર કરવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહઈ છે. આ ઉપરાંત ધોળી ધાટડા બસ વિધાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડુતો પોતાના ખેતીકામ માટેના બિયારણ સહિતના ચીજવસ્તુઓની ખરીદી માટે વિરપુર આવવુ પડતુ હોય છે. પણ બાલાસિનોર ડેપોની મનમાનીના લીધે દર વર્ષે વેકેશન દરમિયાન અને જાહેર રજાઓમાં બસ બંધ કરી દે છે. વિરપુરથી ધોળી ધાટડા જવા માટે ગામડાના લોકો માટે આ એકમાત્ર આર્શિવાદ સમાન બસ સુવિધા હતી. તે પણ બંધ કરી દેવામાં આવી છે. ઉનાળાના ધખમખતા તાપમાં લોકોને બપોરના સમયે ખાનગી વાહનોમાં જવુ પડે છે. તેની સાથે સવારની અને બપોરની આ એક બસ હતી. તે પણ બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના 10 જેટલા ગામડાઓના લોકોને ભારે હેરાન ગતિ વેઠવી પડી રહી છે.બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા ખાસ કિસ્સા તરીકે ધોળી ધાટડા રૂટની બસ નવી કે જુની ફાળવવામાં આવે તો જ ગ્રામ્ય વિસ્તારનો આ વિકટ બનેલો પ્રશ્ર્ન હલ થાય તેમ છે તેવુ સરપંચોએ સાથે સ્થાનિકોએ જણાવ્યુ છે.