વિપક્ષના ગઠબંધન પર નીતીશે કહ્યું, વિવાદ ન હોવો જોઈએ, બધાએ એક થવું જોઈએ, તો જ ભાજપ સાથે લડાઈ થશે.

મુંબઇ,બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે કહ્યું હતું કે જો વધુને વધુ વિપક્ષી દળો સાથે મળીને કામ કરશે અને એકજુટ થશે તો આગામી લોક્સભા ચૂંટણીમાં ભાજપ સામેની લડાઈમાં સારા પરિણામો આવશે. કુમાર મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બધા સાથે મળીને લડશે, ત્યારે (ભાજપ સાથે) લડાઈ થશે.

(વિરોધી પક્ષોને) સારી સફળતા મળશે અને દેશ સાચી દિશામાં આગળ વધશે.” કુમારે કહ્યું કે વિરોધ પક્ષો નક્કી કરશે કે તેમની આગામી બેઠક ક્યારે યોજાશે. તેમણે કહ્યું, અમારો ઉદ્દેશ્ય માત્ર એક જ છે… દેશના હિતમાં કામ કરવું. કુમારે કહ્યું, કોઈ વિવાદ ન હોવો જોઈએ અને બધાએ એક થવું જોઈએ. તેને આગળ વિપક્ષી એક્તાને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ૨૦૧૬ની લોક્સભા ચૂંટણી.

જનતા દળ (યુનાઈટેડ)ના નેતા બાદમાં મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને પણ મળશે. કુમાર આગામી વર્ષની લોક્સભાની ચૂંટણી પહેલા ભાજપ સામે મજબૂત ગઠબંધન બનાવવા માટે વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. તેઓ મંગળવારે ભુવનેશ્ર્વરમાં તેમના ઓડિશા સમકક્ષ નવીન પટનાયકને મળ્યા હતા. કુમાર ગયા વર્ષે બીજેપી સાથે ગઠબંધન તોડીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી બહાર આવ્યા હતા.