વિજયા રાજે સિંધિયાએ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ખાતરી આપી હતી કે બાબરીનું માળખાને ધ્વંશ નહીં કરાશે. : શરદ પવાર

મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું કે ૧૯૯૨માં જ્યારે રામજન્મભૂમિ આંદોલન વેગ પકડી રહ્યું હતું ત્યારે ભાજપના નેતા વિજયા રાજે સિંધિયાએ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ખાતરી આપી હતી કે બાબરીનું માળખાને ધ્વંશ નહીં કરાશે. અને તેમણે સિંધિયાની વાતને તેમના મંત્રીઓની સલાહ વિરુદ્ધ માની. પવારે વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીના પુસ્તક ’હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ’ના વિમોચન સમયે આ દાવો કર્યો હતો.

શરદ પવારે કહ્યું, પ્રધાનોનું એક જૂથ હતું અને હું તેમાંથી એક હતો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વડા પ્રધાને સંબંધિત પક્ષના નેતાઓની બેઠક બોલાવવી જોઈએ. તે બેઠકમાં વિજયા રાજે સિંધિયાએ વડા પ્રધાનને ખાતરી આપી હતી કે બાબરી મસ્જિદને કંઈ થશે નહીં.

શરદ પવારે કહ્યું કે તેમને, ગૃહ પ્રધાન અને ગૃહ સચિવને લાગ્યું કે કંઈ પણ થઈ શકે છે, પરંતુ રાવે સિંધિયા પર વિશ્ર્વાસ કરવાનો નિર્ણય કર્યો. દરમિયાન, ચૌધરીએ ઘટના પછી કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથેની રાવની વાતચીતનો ઉલ્લેખ કર્યો, જે દરમિયાન વડા પ્રધાનને પૂછવામાં આવ્યું કે તેઓ તોડી પાડવાના સમયે શું કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાવે પત્રકારોને કહ્યું હતું કે તેમણે આવું થવા દીધું કારણ કે તેનાથી એક મુદ્દો ખતમ થઈ ગયો અને તેમને લાગ્યું કે ભાજપ તેનું મુખ્ય રાજકીય કાર્ડ ગુમાવશે.

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, કોંગ્રેસ નેતા શશિ થરૂર, ભૂતપૂર્વ રેલ્વે મંત્રી અને બીજેપી નેતા દિનેશ ત્રિવેદી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે પવાર દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ચર્ચાનું સંચાલન વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ કર્યું હતું. પૃથ્વીરાજ ચવ્હાણ, જે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા, તેમણે કહ્યું હતું કે અણ્ણા હજારેના આંદોલનને યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવ્યું તે યુપીએ સરકારની હકાલપટ્ટીનું કારણ હતું અને તે પહેલા ઘણા કૌભાંડો સામે આવ્યા હતા.