વિધવા મહિલાઓને મંદિરોમાં પ્રવેશતા રોકવાની પ્રથાઓને સખત ઠપકો આપ્યો.

ચેન્નાઇ,
મદ્રાસ હાઈકોર્ટે વિધવા મહિલાઓને મંદિરોમાં પ્રવેશતા રોકવાની પ્રથાઓને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આવી પરંપરાઓ કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્તિત્વમાં નથી. ઈરોડ જિલ્લામાં મંદિરની મુલાકાત લેવા અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોલીસ સુરક્ષાની માંગ કરતી મહિલાની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ આનંદ વેંકટેશની બેંચને મહિલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેનો પતિ મંદિરમાં પૂજારી હતો, જેનું ૨૮ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ અવસાન થયું હતું, લાઈવલોએ અહેવાલ આપ્યો હતો. તેણીએ વધુમાં જણાવ્યું કે તે તેના પુત્ર સાથે મંદિરના ઉત્સવમાં ભાગ લેવા માંગતી હતી અને પૂજા કરવા માંગતી હતી, પરંતુ કેટલાક લોકોએ તેને આમ કરવાથી રોકી હતી. તેણીને કહેવામાં આવ્યું હતું કે તે મંદિરમાં પ્રવેશ કરી શક્તી નથી કારણ કે તે વિધવા છે. આ સાથે મહિલાએ ૯ અને ૧૦ ઓગસ્ટે મંદિરમાં યોજાનારા ઉત્સવમાં ભાગ લેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.

સમગ્ર મામલા પર સખત નારાજગી વ્યક્ત કરતા ખંડપીઠે કહ્યું, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ રાજ્યમાં વર્ષો જૂની માન્યતાઓ છે કે જો કોઈ વિધવા મંદિરમાં પ્રવેશ કરે છે, તો તે અશુદ્ધિ તરફ દોરી જાય છે.” જો કે આ બધી મૂર્ખ માન્યતાઓને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેમ છતાં કેટલાક ગામોમાં આ પ્રથા ચાલુ છે. કોર્ટે વધુમાં કહ્યું કે, આ નિયમો પુરુષો દ્વારા તેમની સુવિધા માટે બનાવવામાં આવ્યા છે. તે ખરેખર ીને અપમાનિત કરે છે કારણ કે તેણે તેના પતિને ગુમાવ્યો છે.

જસ્ટિસ વેંકટેશે વધુમાં કહ્યું કે ીની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે, કાયદાના શાસન દ્વારા સંચાલિત સંસ્કારી સમાજમાં આવું ક્યારેય ન ચાલી શકે. જો કોઈ વિધવાને મંદિરમાં પ્રવેશતી રોકવા માટે કોઈ દ્વારા આવો પ્રયાસ કરવામાં આવે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.

બેન્ચે કહ્યું કે, ીની પોતાની સ્વતંત્ર ઓળખ હોય છે અને તેને તેના વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી શકાય નહીં અથવા છીનવી શકાય નહીં. અરજીમાં સામેલ અન્ય પક્ષકારોને સંબોધતા કોર્ટે કહ્યું કે, તેમને અરજદાર અને તેના પુત્રને તહેવારમાં હાજરી આપવા અને ભગવાનની પૂજા કરતા રોકવાનો કોઈ અધિકાર નથી. ત્યારબાદ કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો કે જેઓએ અરજદારને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા તેમને સ્પષ્ટપણે જણાવો કે તેઓ તેને અને તેના પુત્રને મંદિરમાં પ્રવેશતા અટકાવશે નહીં. જો આવું થાય તો પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, પોલીસ એ સુનિશ્ર્ચિત કરે કે મહિલા અરજદાર અને તેનો પુત્ર ૯ અને ૧૦ ઓગસ્ટના રોજ મંદિર ઉત્સવમાં ભાગ લે.

Don`t copy text!