વેજલપુર નર્મદા ટાંકી પાસે રહેતા 30 વર્ષીય યુવાને અનાજમાં છાંટવાની દવા પી જતાં મોત

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર નર્મદા પાણીની ટાંંકી પાસે રહેતા 30 વર્ષીય યુવાન દારૂ પી ગાળો બોલતો હોય ગાળો બોલવાની ના પાડતા ખોટું લાગી જતાં અનાજમાં નાખવાની દવા પી જતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર નર્મદા પાણીની ટાંકી પાસે રહેતા હસમુખ મંગળભાઈ બારીયા (નાયક) ઉ.વ.30 દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને દારૂ પીને ગાળો બોલતા જાહેરમાં ગાળો આપવાની ના પડતાં મનમાં ખોટું લાગતાં છાપરામાં રાખેલ અનાજમાં છાંટવાની દવા પી જતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.