વતનના ઋણ નિમિત્તે હરખનું જ્ઞાતિ ભોજન તથા સપ્રેમ ભેટ

ગોધરા,શ્રી ઝાલાવાડી સઈ-સુથાર જ્ઞાતી, ગોધરાના સર્વે જ્ઞાતિબંધુઓને ગોધરાના સ્વ. સુથાર ચંદુલાલ મોહનલાલના દીકરા શાંતિલાલ હાલ રહેવાસી અમદાવાદ વડીલ એ વતન ઋણ નિમિત્તે ગોધરા ખાતે સર્વે જ્ઞાતિબંધુઓ માટે હરખના ઉમંગ સાથેનો ભોજન સમારંભ તથા સપ્રેમ વસ્તુ ભેટ આપી દરેક જ્ઞાતિબંધુએ સહ પરિવાર હાજરી આપી હતી અને આનંદ સાથે પ્રસંગની ઉજવણી બ્રાહ્મણપંચની વાડી, રામસાગર તળાવ સામે, ગોધરા ખાતે કરવામાં આવી હતી. જે નિમિતે જ્ઞાતિના આગેવાનો મનોજભાઈ પરમાર, અનિલભાઈ ગોહિલ, યોગેશભાઈ મકવાણા, મહેશભાઈ દરજી, રજનીભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનોએ તેમનું બહુમાન કરી વધાવ્યા હતા.