વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા-બે દીકરીઓનો સામુહિક આપઘાત

મોરબી, મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓએ એકીસાથે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા (૪૫), તેની દીકરી સેજલ ભરતભાઈ ખાંડેખા (૨૧) અને અંજલી ભરતભાઈ ખાંડેખા (૧૯) ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ત્રણયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ત્રણેયના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક મંજુબેનના દીકરાએ થોડા મહિના પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં આપઘાત કરી લીધો હતો અને ત્યારથી માતા અને બંને દીકરીઓએ ગુમસુમ રહેતા હતા અને અચાનક ત્રણેયએ અંતિમ પગલું ભરી લેતા હાલમાં પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી ગયું છે.