ઉત્તરપ્રદેશમાં માફિયાઓમાં ફફડાટ છે પણ ગુડ્ડુ મુસ્લિમની અકડ યથાવત, મોકલી ધમકીભરી ચિઠ્ઠી અને માગ્યા ૨૦ લાખ રૂપિયા !

લખનૌ,ભલે ન હોય પરંતુ આ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરાર ગુડ્ડુ મુસ્લિમ તરફથી ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો પત્ર લખનઉના આલમબાગના રહેવાસી દેવેન્દ્ર તિવારીને મળ્યો છે, જેમાં ગુડ્ડુ મુસ્લિમનું નામ લખવામાં આવ્યું છે. દેવેન્દ્ર તિવારીની કાર પર રાત્રે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર ચોંટાડવામાં આવ્યો હતો, આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

ભારતીય ક્સિાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે તેઓ આજે જ ૨૦ લાખ રૂપિયા લઈને પ્રયાગરાજ પહોંચી જાય, નહીં તો તેમને મારી નાખવામાં આવશે. દેવેન્દ્ર તિવારીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. આ પત્રમાં એડીજી,એસટીએફ અને મુખ્યમંત્રી યોગીના નામ પણ લખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે બોમ્બબાજ ગુડ્ડુ મુસ્લિમ ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ છે. ઘટના બાદથી તે ફરાર છે. તેના પર ૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. યુપી એસટીએફ સતત તેની શોધ કરી રહી છે. ગુડ્ડુ મુસ્લિમનું લોકેશન શોધવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ કોઈ ખાસ સફળતા મળી રહી નથી. બોમ્બર સતત પોલીસ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. તેનું લોકેશન સતત બદલાઈ રહ્યું છે, જેના કારણે તેના સુધી પોલીસ પહોંચી શક્તી નથી. ઉમેશ પાલની હત્યા બાદ ગુડ્ડુ સતત ફરાર છે. તેનું લોકેશન નાસિક સહિત ઘણી જગ્યાએ જોવા મળ્યું હતું પરંતુ તે મળી શક્યો નહોતો.

ઉમેશ હત્યા કેસમાં ગુડ્ડુ મુસ્લિમની મહત્વની ભૂમિકા હતી. સામે આવેલા વીડિયોમાં તે બોમ્બ ફેંક્તો જોવા મળ્યો હતો. જે બાદ પ્રશાસને પ્રયાગરાજ સ્થિત તેમના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. ફરાર થયા બાદ પણ તે પોતાની હરક્તોથી બચતો નથી હવે તેણે ભારતીય ક્સિાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમજ તેમની પાસેથી ૨૦ લાખની માંગણી કરી હતી. રાત્રે તેમની કાર પર ધમકીભર્યો પત્ર ચોંટાડવામાં આવ્યો હતો. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.