
રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે રથયાત્રાના દિવસે શહેરમાં વરસાદ રહી શકે છે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ અલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નું ઓરેન્જ અલર્ટ, મય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો અલર્ટ જાહેર કર્યું. તો બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આવતીકાલથી હળવાથી મયમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.