યુપી, બંગાળ અને આસામના સરહદી રાજ્યોમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર ઓર્ગેનાઇઝર વીકલીએ કહ્યું છે કે ભારતના સરહદી વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે. આવી સ્થિતિમાં વ્યાપક રાષ્ટ્રીય વસ્તી નિયંત્રણ નીતિની જરૂર છે. મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે સરહદો પર ગેરકાયદેસર સ્થળાંતરને કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને ઉત્તરાખંડ જેવા સરહદી રાજ્યોમાં વસ્તી અકુદરતી રીતે વધી રહી છે. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચાલો જાણીએ કે શું આ દાવાઓ સાચા છે? યુપી, બંગાળ અને આસામમાં શું છે સ્થિતિ? તાજેતરમાં યોજાયેલી લોક્સભાની ચૂંટણી પહેલા એક અહેવાલ સામે આવ્યો હતો, જેની ચૂંટણી દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી.

એવું કહેવાય છે કે ૧૯૫૦ થી ૨૦૧૫ વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૭.૮૨ ટકાનો ઘટાડો થયો છે. આ જ સમયગાળા દરમિયાન મુસ્લિમોની વસ્તીમાં ૪૩.૧૫ ટકાનો વધારો થયો છે. પાડોશી હિંદુ બહુમતી નેપાળમાં હિંદુ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં, મ્યાનમારમાં બહુમતી બૌદ્ધોની વસ્તીમાં પણ ઘટાડો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે ૧૯૫૦ થી ૨૦૧૫ વચ્ચે ૧૬૭ દેશોમાં વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ આપ્યો છે. આ દેશોમાં, જેમની વસ્તી ૭૫ ટકાથી વધુ છે તેમને બહુમતી માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર આ દેશોમાં ૬૫ વર્ષમાં બહુમતી વસ્તીમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. પરંતુ આ વલણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોને લાગુ પડતું નથી. ૩૮ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં મુસ્લિમ વસ્તી વધી છે. યુપી અને આસામ પોલીસ દ્વારા ૨૦૨૨માં ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુપી અને આસામમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે. યુપીની નેપાળ સરહદે પીલીભીત, લખીમપુર ખેરી, મહારાજગંજ, બલરામપુર અને બહરાઇચ સહિત ૭ જિલ્લાઓ વિશે કહેવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા ૧૦ વર્ષમાં મુસ્લિમ વસ્તી ૩૨% વધી છે. યુપી અને આસામ પોલીસના અહેવાલમાં જણાવાયું છે કે સરહદી જિલ્લાઓમાં ૨૦૧૧ થી અત્યાર સુધીમાં મુસ્લિમ વસ્તીમાં ૩૨%નો વધારો થયો છે.

તે જ સમયે, આ ફેરફાર સમગ્ર દેશમાં ૧૦% થી ૧૫% ની વચ્ચે છે. એટલે કે મુસ્લિમ વસ્તી સામાન્ય કરતા ૨૦% વધુ વધી છે. આ અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યોની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વસ્તીમાં આ ફેરફારોને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ માને છે. આવી સ્થિતિમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે મ્જીહ્લનું કાર્યક્ષેત્ર ૫૦ કિલોમીટરથી વધારીને ૧૦૦ કિલોમીટર કરવું જોઈએ, જેથી તે આ વિસ્તારોમાં તપાસ અને સર્ચની કામગીરીને વધુ તીવ્ર બનાવી શકે.