ટોયોટા કિર્લોસ્કરના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરનું ૬૪ વર્ષની વયે અવસાન

હૈદરાબાદ,

ટોયોટા કિર્લોસ્કર કંપનીના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ ૬૪ વર્ષના હતા. કંપનીએ નિવેદનમાં આપતા જણાવ્યું હતું કે, ૨૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ટોયોટા કિર્લોસ્કર કંપનીના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરના અકાળે અવસાન વિશે જણાવતા અમને ખૂબ જ દુ:ખ થાય છે. દુ:ખની આ ઘડીમાં અમે બધાને વિનંતી કરીયે છીએ કે તેમની આત્માની શાંતિ માટે આપણે બધા પ્રાર્થના કરીએ.

કંપનીએ જણાવ્યું કે બુધવારે બપોરે ૧ વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં ટોયોટા કિર્લોસ્કર મોટર, જે વિવિધ પ્રકારના વાહનોનું વેચાણ કરે છે, તે જાપાની ઓટો અગ્રણી ટોયોટા મોટર અને કિર્લોસ્કર જૂથ વચ્ચેનો સંયુક્ત ઉદ્યોગ છે.

Don`t copy text!