ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની સફળતા બાદ સંયુક્ત રાષ્ટ્ર વિશ્ર્વ પ્રવાસન સંગઠને જી. કિશન રેડ્ડીને આમંત્રણ આપ્યું

નવીદિલ્હી, ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય રાજકીય મંચને સંબોધિત કરશે. જી કિશન રેડ્ડીને ૧૦ થી ૧૪ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર એચએલપીએફની થીમ “કોરોના વાયરસ રોગથી પુન:પ્રાપ્તિને વેગ આપવી અને તમામ સ્તરે ટકાઉ વિકાસ માટે ૨૦૩૦ એજન્ડાનો સંપૂર્ણ અમલીકરણ” હશે. કેન્દ્રીય મંત્રીનું સંબોધન ૧૩ અને ૧૪ જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં થશે. જી કિશન રેડ્ડી એવા પ્રથમ ભારતીય પ્રવાસન મંત્રી છે જેમને એચએલપીએફ તરફથી આ આમંત્રણ મળ્યું છે, તેઓ જી-૨૦ ટુરિઝમ અધ્યક્ષ તરીકે પણ ભાગ લેશે.

વિશ્ર્વભરની ઘણી અર્થવ્યવસ્થાઓ અને સમાજોમાં પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવે છે તે સ્વીકારીને, ઘણા ટોચના રાજકીય અને ઉદ્યોગના નેતાઓ એક્સાથે આવશે અને એસડીજીામાં પ્રવાસન ક્ષેત્રના પ્રયત્નોને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. આ કાર્યક્રમ પ્રવાસન અને એસડીજી વચ્ચેના જોડાણને પણ રજૂ કરશે અને કાર્યોના સંકલન પર વિચાર કરશે.

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનએ જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની સફળતા બાદ વૈશ્ર્વિક પ્રવાસન વૃદ્ધિ અને તેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથેના જોડાણો પર બોલવા માટે જી કિશન રેડ્ડીને ન્યૂયોર્કમાં આમંત્રણ આપ્યું છે. ‘ભારત ઘોષણા’ અને ‘ગોવા રોડ મેપ’ના અમલીકરણની કલ્પના જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપના ભાગ રૂપે કરવામાં આવી હતી અને ૨૧ અને ૨૨ જૂન વચ્ચે ગોવામાં મંત્રી સ્તરની બેઠક દરમિયાન તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

તેનો ઉદ્દેશ્ય વિકાસના લક્ષ્યોને હાંસલ કરવાનો અને દેશો અને હિતધારકો વચ્ચે ભાગીદારી અને સહકાર વધારવાનો છે. તમને જણાવી દઈએ કે એચએલપીએફએ વૈશ્ર્વિક સ્તરે ૨૦૩૦ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ફોલો-અપ અને સમીક્ષા માટેનું કેન્દ્રીય સંયુક્ત રાષ્ટ્રનું પ્લેટફોર્મ છે. વર્ષ ૨૦૨૩ માટે એચએલપીએફની થીમ “કોરોના વાયરસ રોગમાંથી પુન:પ્રાપ્તિને ઝડપી બનાવવી અને ટકાઉ વિકાસ માટે ૨૦૩૦ એજન્ડા તમામ સ્તરે સંપૂર્ણ અમલીકરણ” હશે.