તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું, દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન

ટાઉતેના મજબૂત થઈને વિકરાળ ચક્રવાતી તોફાન’ નુ રૂપ ધરવાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ દળ અને વાહન એકદમ તૈયાર છે. અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતીય તોફાનને કારણે મુંબઈમાં સોમવારે બપોરે 114 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આંધી ચાલી. ત્યાના નગર નિકાય અધિકારીઓએ આ માહિતી અઅપી ભારત હવામાન વિભાગ (આઈએમડીએ સોમવારે જણાવ્યુ કે વાવાઝોડુ ટાઉતે ‘વિકરાળ ચક્રવાતી તોફાન’માં બદલાય ગયુ છે અને સાંજ સુધી તે ગૂજરાતના તટ સુધી પહોંચવાનુ અનુમાન છે.

ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર ‘તૌકાતે’ વાવાઝોડાનું કેન્દ્ર હાલમાં લક્ષદ્વીપ છે, જે શનિવારે સવારથી વધુ તીવ્રતાથી આગળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર તૌકતે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે અને એની અસર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ 17 તારીખે સાંજે અરબ સાગરમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે.જેની સૌથી વધારે અસર પોરબંદર અને ભાવનગર જિલ્લાને થવાની શક્યતા છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે.વાવાઝોડાના સંકટ વચ્ચે લોકોનાં મનમાં ભયની સાથે કેટલાક સવાલો પણ ઊઠી રહ્યા છે,

10:03PM, 17th May

  • ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર આ 4 જિલ્લાને વિશેષ અસર થશે CycloneTaukte ની…..આ જિલ્લાઓમાં 150km/hr ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. – CM રૂપાણી..
  • તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું…..
  • ગુજરાતના સોમનાથ,વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન…..

10:03PM, 17th May

  • તાઉતે વાવાઝોડાની અસરને કારણે અમરેલીના ઝાફરાબાદ અને પીપાવાવ કિનારે અત્યારે જોરદાર પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે…..
  • દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ પણ વધી રહી છે.જેને પગલે NDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ખસેડવા માટે કામ કરી રહી છે…

10:03PM, 17th May

  • અમરેલી- રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં વાવાઝોડાને લઈને ગંભીર સ્થિતિ થઈ શકે છે…..
  • વાવાઝોડાએ તોફાની રૂપ ધારણ કર્યું…..
  • તોફાની પવન સાથે પડી રહ્યો છે વરસાદ…..
  • ગામડાઓમાં વીજપૂરવઠો પણ અસર કરી શકે છે…..
  • આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે…..
  • રાજુલા શહેરમાં વૃક્ષો ધરાશય થયા…..

10:02PM, 17th May

  • હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત…..
  • તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાં કાંઠે ટકરાયું…..
  • 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી…..
  • આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા થશે…

10:02PM, 17th May

  • ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર શરૂ…..
  • ઉનાનાં નવાબંદર વિસ્તારમાં 2 મકાન ધરાશાયી…..
  • ભારે પવનના કારણે 2 બોટની જળસમાધી..

09:54PM, 17th May

  • વલસાડ જિલ્લાના દરિયા કિનારે તોફાની માહોલ, દરિયામાં રાત્રે જોવા મળ્યો કરંટ. કિનારાના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ.

09:53PM, 17th May

  • રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ, દીવ અને ઉના વચ્ચે ટકરાયું તૌકતે, અનેક જગ્યાએ ભારે વરસાદ ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે
Don`t copy text!