
મુંબઇ, હાર્ટ એટેકના કારણે આ મહિને ચાર કલાકારોનું મૃત્યુ થયું હતું. હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે દક્ષિણના વધુ એક લોકપ્રિય પીઢ અભિનેતાનું નિધન થયું છે. તમિલ સિનેમામાં હાર્ટ એટેકના કારણે સેલિબ્રિટીઝના અવારનવાર મૃત્યુએ લોકો અને ફિલ્મ ઉદ્યોગને આંચકો આપ્યો છે. તાજેતરમાં લોલુ સબા સેશુ અને વિલન ડેનિયલ બાલાજીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. હવે અભિનેતા અને એઆઇએડીએમકેના સ્ટાર પ્રવક્તા અરુલમણિનું પણ ૬૫ વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે, જેનાથી તમિલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
અરુલમણિના અવસાનથી તેમના ચાહકો અને પ્રશંસકોને ભારે આઘાત લાગ્યો છે. અરુલમણિને ગઈકાલે રાત્રે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને સરકારી રોયાપેટ્ટાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પીઢ અભિનેતાનો પરિવાર અને એઆઇએડીએમકે કાર્યર્ક્તાઓ આ સમાચારથી ખૂબ જ દુ:ખી છે. સિનેમા કરતાં રાજકારણમાં વધુ રસ ધરાવતા અરુલમણિ એઆઇએડીએમકે પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત હતા. અરુલમણિ છેલ્લા દસ દિવસથી ઘણા શહેરોમાં પ્રચારમાં વ્યસ્ત હતા. ગઈકાલે તેઓ ચેન્નાઈ પરત ફર્યા હતા અને આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો.તેના પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેમને બચાવી શક્યા ન હતા.
અભિનેતા અને લોકપ્રિય અરુલમણિનું ગઈકાલે ૧૧ એપ્રિલે અવસાન થયું હતું. તેણે ’અઝાગી’, ’થેન્દ્રાલ’, ’થાંદવાક્કોન’ અને બીજી ઘણી તમિલ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો. તમને જણાવી દઈએ કે ગયા મહિને એક્ટર ડેનિયલ બાલાજીનું ૪૮ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. સેશુ, ડેનિયલ બાલાજી અને વિશ્ર્વેશ્ર્વર રાવ પછી હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા અરુલમણિ ચોથા તમિલ અભિનેતા બન્યા.
તમને જણાવી દઈએ કે સેશુ, ડેનિયલ બાલાજી અને વિશ્ર્વેશ્ર્વર રાવ પછી, અરુલમણિ ચોથા એક્ટર હતા, જેમના મૃત્યુથી બધા પરેશાન છે. ચાર તમિલ કલાકારો એક મહિનામાં મૃત્યુ પામ્યા. દરમિયાન, ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર અરુલમણીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના શોકને શેર કરી રહ્યા છે.