સુશાંત આપઘાત કેસ: સલમાન,કરણ સહિત ૮ હસ્તીઓને કોર્ટમાં હાજર થવા આદેશ

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે મુઝફરપુર જિલ્લા કોર્ટ આજે એક અહમ આદેશ જારી કર્યો છે. કોર્ટનાં આદેશ મુજબ ૮ ફિલ્મી હસ્તીઓએ પોતે કે તેમનાં વકિલનાં માધ્યમથી કોર્ટમાં હાજર રહેવું પડશે. હાજર રહેવાની તારીખ ૭ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં આદેશ મુજબ, સલમાન ખાન, કરન જોહર, આદિત્ય ચોપરા , સાજિદ નડિયાદવાલા , સંજય લીલા ભણસાલી , એકતા કપૂર , ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને ૭ ઓક્ટોબરનાં હાજર રહેવાનાં આદેશ આપ્યાં છે. આ મામલે તમામને નોટિસ મોકલી દેવામાં આવી છે. આ ફિલ્મી હસ્તિઓ વિરુદ્ધ અરજકર્તા સુધીર ઓઝાનાં પરિવારદ દાખલ કરી છે. અને સુશાંતનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.

આપને જણાવી દઇએ કે આ વચ્ચે એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો તાબડતોડ છાપામારીની કા્યવાહી કરી છે. શુક્રવારે NCB ટીમે આ મામલે એક મોટા ડ્રગ પેડલરની ધરપકડ કરી લીધી છે.

Don`t copy text!