
- નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચે ચર્ચા થઇ હતી,નિર્ણય લેતી વકતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઇ ખામી ન હતી.
નવીદિલ્હી,
નોટબંધી પર સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે.સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકારતી ૫૮ જેટલી અરજીઓ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પુહેલા કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચે ચર્ચા થઇ હતી સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઇ ખામી નહોતી તેથી તે અધિસુચના રદ કરવાની કોઇ જરૂર નથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને કોર્ટે ૨૦૧૬માં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.
જસ્ટિસ વી વી નાગરત્ને કહ્યું કે હું સાથી ન્યાયાધીશો સાથે સહમત છું પરંતુ મારી દલીલો અલગ છે.મેં તમામ ૬ પ્રશ્નોના જુદાજુદા જવાબો આપ્યા છે.મેં આરબીઆઇના મહત્વ અને તેના કાયદા અને દેશની આથક નીતિઓનો ઉલ્લેખ કર્યો છે તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક ભારતીય અર્થતંત્રની દિવાલ છે. મેં સમગ્ર વિશ્ર્વમાં આ પ્રકારની નોટબંધીની કવાયતનો ઇતિહાસ ટાંકયો છે.તેમણે કહ્યું કે આપણે આર્થિક કે નાણાંકીય નિર્ણયોના ગુણ દોષ શોધવાની જરૂર નથી.
અત્રે જણાવવાનું કે નવ નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઇતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે.વર્ષ ૨૦૧૬માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર ૮ વાગે નોટબંધીની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોબંધ કરી દેવામાં આવી હતી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આજે આઠ નવેમ્બર ૨૦૧૬ના રોજ થયેલી નોટબંધીને પડકારતી ૫૮ અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો.આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ૭ ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેન્કને ૨૦૧૬માં રૂ.૧,૦૦૦ અને રૂ.૫૦૦ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજુ કરવા નિર્દેશ આપ્યો હતો. અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ધડવાની પણ માંગ કરી હતી જેથી આવા નિર્ણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઇ શકે આ અગાઉ બેન્ચે કેન્દ્રના ૨૦૧૬ના નિર્ણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોટબંધીની આ જાહેરાત તે જ દિવસે મઘ્યરાત્રીથી અમલમાં આવી હતી. આ જાહેરાતના થોડા સમય બાદ દેશમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.બેંકો ની બહાર લાંબી કતારો જોવા મળી હતી. ૧૫૦૦ની નોટો ખર્ચવા માટે લોકો બજારમાં ઉમટી પડયા હતાં રાત્રે ૧૨ વાગ્યા સુધી લોકો સુવર્ણકારની દુકાન પર હતાં બેંકોની બહાર કતારમાં ઉભા રહીને નોટો બદલવા માટે સામાન્ય લોકોને અઠવાડિયા સુધી હાલાકી ભોગવવી પડી હતી બાદમાં ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો બહાર પાડવામા આવી હતી સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કાળા નાણાં અને નકલી ચલણની સમસ્યાને ખતમ કરવા માટે તેણે આ પગલું ભર્યું છે પીએમ મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ અચાનક રાત્રે આઠ વાગ્યે નોટબંધીના નીર્ણયની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેન્કરોની લાઇનમાં ઉભા રહ્યાં હતાં નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો અને લાંબી લાઇનોને કારણે કેટલાકના મૃત્યુ પણ થયા હતાં. વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારના નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો હતો અને આ મુદ્દા પર વિરોધ પક્ષો મોદી સરકારને નિશાન બનાવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ને તમામ ૫૦૦ અને ૧,૦૦૦ની નોટોના નોટબંધી (ડિમોનેટાઇઝેશન)ને સમર્થન આપતા બહુમતીના મતથી અલગ અસંમત ચુકાદો લખ્યો હતો કે એક્ટ કેન્દ્ર સરકારના સંકેત પર નોટબંધીનો વિચાર કરતું નથી. આ એકમાત્ર જજ છે જેમણે અલગ નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ૨૫ નવેમ્બર અને શુક્રવારના દિવસે નોટબંધીને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂની ચલણી નોટો બદલવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર વિચાર કરવો જોઈએ. તેને બદલવાની સમયમર્યાદા ચૂકી ગયા છે. તેવા લોકોને વધુ એક તક મળવી જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટ ૫ના રોજ પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ નોટબંધી અંગે અરજીની સુનાવણી આજે કરી હતી.
દેશમાં અગાઉ ૧૬ જાન્યુઆરી,૧૯૭૮ના રોજ જનતા પાર્ટીની ગઠબંધન સરકારે પણ આજ કારણોસર ૧૦૦૦ ૫૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી.