સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા, આતંકવાદના દોષિત ૭નાં માથાં વાઢી નાખ્યાં

રિયાધ, સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા પામેલા લોકોને કાં તો ફાંસી અપાય છે અથવા તો શિરચ્છેદ કરાય છે. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલો અનુસાર આતંકવાદના દોષિત સાત લોકોનાં તલવારથી માથાં વાઢી નાખ્યાં હતાં.

આ પહેલાં માર્ચ ૨૦૨૨માં સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં ૮૧ લોકોને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાની સત્તાવાર પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ સાત લોકો સામે આતંકવાદી સંગઠન બનાવવા અને ફન્ડિંગ ઉઘરાવવાનો આરોપ હતો. જેમાં દોષી સાબિત થતાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

બીજી તરફ આ સાત લોકો સાઉદી અરેબિયાના નાગરિક હોવાના દાવા કરાયા છે. જોકે, તેમની નાગરિક્તાનો સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી.