સીંગવડના તોયની ગામેની પ્રાથમીક શાળામાંથી મળેલ બાળકીના મૃતદેહનો પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવી દેવાથી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં જિલ્લાભરમાં ખળભળાટ.

તસ્વીર : વિનોદ પંચાલ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની છોકરી તોયની ગામે આવેલ પ્રાથમીક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરી રહેલ  ૦૬ વર્ષિય માસુમ બાળાકાનો મૃતદેહ મળી આવ્યો તે પ્રકરણમાં બાળકીના મૃતદેહના પીએમ રિપોર્ટ આવતાં પીએમ રિપોર્ટમાં બાળકીનું શ્વાસ રૂંધાવી દેવાથી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે કે કેમ ? તે મામલાનો પણ પીએમ રિપોર્ટ સહિત જરૂર પુરાવા દસ્તાવેજાેની પોલીસ રાહ જાેઈ રહી છે ત્યારે તે મામલે પણ શંકા ઘેરી બની છે. જાે ખરેખર બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવામાં આવી હશે તો આ ઘટના દાહોદ જિલ્લામાં ઘ્રૃણાષ્પદ તેમજ ચકચારી બનાવ કહી શકાય તેમ છતાંય હાલ પણ આ બનાવને પગલે જિલ્લા ભરમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની છોકરી તોયની  ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરી રહેલ  ૬ વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શાળાએ ગયેલી વિદ્યાર્થિની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલા જાેવા મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ દિવાલ ટપીને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઊઠ્‌યા હતા. ધોરણ ૧માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે શાળામાં જ એવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નિપજ્યું ? આ સવાલનો જવાબ મેળવવા માટે હાલ દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. રાત્રિના સમયે જ એસપી સહિતો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

ધો.૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાએ ગયા બાદ પરત ન ફરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં રહેતી  વિદ્યાર્થિની પીપળીયા ગામ નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ-૧મા આજ વર્ષે અભ્યાસ અર્થ દાખલ કરવામા આવી હતી. વિદ્યાર્થિની દરરોજ શાળાએ અભ્યાસ માટે જતી હતી અને દરરોજ સાંજે શાળાનો સમય પૂરો થતા પરત ઘરે આવી જતી હતી. ૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામા ઘરેથી પોતાની સ્કૂલબેગ લઈને શાળાએ જવા નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી. પરંતુ, શાળાનો સમય પૂર્ણ થતા વિધાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ વિદ્યાર્થિની શાળા છુટ્યાના એક કલાક બાદ એટલે કે ૬ઃ૦૦ વાગ્યા સુધી ઘરે નહિ આવતા પરિવારજનો ચિંતામા મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરુ કરી હતી.

શાળાએ પહોંચ્યા તો શાળાના ગેટ પર તાળું હતું

માસૂમ વિદ્યાર્થિની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં શાળાનો મુખ્ય ગેટ પર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળામાં પ્રવેશ્યાં હતાં અને તપાસ હાથ ધરી હતી. શાળામાં ચારેય તરફ દીકરીના નામની બૂમો પાડી હતી પરંતુ, કોઈ પ્રત્યુત્તર ન મળતાં શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ કરતા દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની દીવાલ વચ્ચેના ખાચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને તેને સીંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ, ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કરી હતી.

એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

ઘટનાની જાણ થતાં લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્ય કુમાર નિનામા અને દાહોદ એસપી ડો.રાજદીપસિંહ ઝાલા તાત્કાલિક લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મામલે ઝીણવટ ભરી તપાસ શરુ કરી હતી. એસ.પી. ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાતે જ દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટના સ્થળ તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોચ્યા હતા અને શાળાને ઓરડાઓને કોર્ડન કરીને ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરુ કરી હતી. ત્યારે આજરોજ માસુમ બાળકીના પીએમ રિપોર્ટ આવ્યો હતો જેમાં ફોરેન્સીક તબીબોથી પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેમાં શ્વાસ રૂંધાઈ દેવાતી માસુમ બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત માસુમ બાળકીના સ્ટમકમાંથી સેમ્પલો પણ લેવામાં આવ્યાં છે જે સેમ્પલો ફોરેન્સીકમાં મોકલવામાં આવશે અને તેના આધારે ફાઈનલ કોઝ ઓફ ડેથ જાણી શકાશે કોલમ વાઈલ અલગ અલગ માસુમ બાળકીના અવયવો સ્થિતી અને ઈજા અંગેનો રિપોર્ટ આવશે અથવા તો તબીબોને પ્રશ્નોતરી કરી વિગત મેળવી તે મામલે ખુલાસો થનાર છે.ત્યારે આ મામલે રણધીકપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.

Don`t copy text!