શ્રી અલખધામ રામદેવજી મંદિર જેસાવાડા ખાતે ઉસરા ફળિયા આમલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વજેસિંહ સોલંકીનો સન્માન કાર્યક્રમ આન બાન અને શાન સાથે યોજયો

ગરબાડા, ગરબાડા તાલુકામાં આવેલ આમલી પગાર કેન્દ્રની ઉસરા પ્રાથમિક શાળામાં છેલ્લા 14 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવા કર્મનિષ્ઠ, સેવાભાવી શિક્ષક વજેસિંહ વીરાભાઇ સોલંકી વય નિવૃત્ત થતા તેમનું સન્માનનો કાર્યક્રમ અલખધામ રામદેવજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટીગણ તેમજ ભક્તજનો તથા કેશવ મહારાજ અને ભગેશ્ર્વર મહારાજના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. મંદિર પરિવાર વતી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત તેમના મિત્ર મંડળે પણ તેમને સન્માન્યા હતા. અંતે તેઓ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી કિરણસિંહ ચાવડા અને ચરણસિંહ કટારાએ સૌને આવકાર્યા હતા. રામદેવ મંદિર ટૂંકી થી સંત શ્રી લાલદાસ તથા જેસાવાડા થી સંત શ્રી રામદાસ તેમજ સવસિંહ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા .