શિવસેનાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, શ્રીકાંત શિંદે કલ્યાણથી ઉમેદવાર હશે

  • શ્રીકાંત શિંદેનો મુકાબલો શિવસેનાના યુબીટીના વૈશાલી દરેકર રાણે સાથે થશે.

મુંબઇ, મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ લોક્સભા ચૂંટણી માટે બે બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કલ્યાણ અને થાણે લોક્સભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે મુજબ પાર્ટીએ કલ્યાણ સીટ પરથી શ્રીકાંત શિંદે અને થાણે સીટ પરથી નરેશ ગણપત મ્સ્કેને ટિકિટ આપી છે. શ્રીકાંત શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર છે.

કલ્યાણ લોક્સભા સીટ માટે શ્રીકાંત શિંદેનું નામ પહેલેથી જ નક્કી હતું અને માત્ર ઔપચારિક જાહેરાત થવાની બાકી હતી. ગયા મહિને જ રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શ્રીકાંત શિંદે કલ્યાણ લોક્સભા સીટ પરથી ચૂંટણી લડવાની વાત કરી હતી. શ્રીકાંત શિંદે કલ્યાણ સીટ પર શિવસેના યુબીટી ઉમેદવાર વૈશાલી દરેકર રાણેનો સામનો કરશે. વૈશાલીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વતી કલ્યાણમાંથી ૨૦૦૯ની લોક્સભા ચૂંટણી લડી છે. આ વખતે તેઓ શિવસેના યુબીટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

થાણે બેઠક માટે ઉમેદવારની જાહેરાતને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીજેપી થાણે સીટ પરથી સંજીવ નાઈકને મેદાનમાં ઉતારવા માંગતી હતી. જ્યારે સીએમ શિંદે પોતાનું વતન છોડવા તૈયાર ન હતા. જો કે ઘણી ચર્ચા બાદ ભાજપ થાણેની સીટ શિવસેનાને આપવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ ભાજપે શરત રાખી હતી કે થાણેમાં ઉમેદવારની જાહેરાત ભાજપ સાથે ચર્ચા કર્યા પછી જ કરવામાં આવશે. શિવસેના યુબીટીના રાજન વિચારે થાણે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાજન વિચારે ૨૦૧૯ની ચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. નાસિક સીટ પર હજુ પણ મતભેદો છે અને નાસિકમાં હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

શિવસેનાએ લોક્સભાની આઠ બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં દક્ષિણ મય મુંબઈથી રાહુલ શેવાળે, કોલ્હાપુરથી સંજય માંડલિક, શિરડીથી સદાશિવ લોખંડે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, હિંગોલીથી હેમંત પાટીલ, રામટેકથી રાજુ પારવે, માવલથી શ્રીરંગ બર્ને અને હાટકનાંગલેથી ધાર્યશીલ માનેને ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, ભાજપ અને એનસીપી મહાગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. મહાયુતિમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઠબંધન હેઠળ ભાજપ રાજ્યની ૨૮ લોક્સભા સીટો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેની શિવસેના ૧૪ બેઠકો પર અને અજિત પવારની એનસીપી પાંચ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. રાષ્ટ્રીય સમાજ પક્ષને પણ એક બેઠક આપવામાં આવી છે.