શરદ પવારે એનસીપી પર અંકુશ રાખવા માટે રાજીનામાનું નાટક રચ્યું : મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ બાવનકુલે

મુંબઇ,મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ એનસીપી પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું. બાવનકુલેએ કહ્યું કે શરદ પવારે તાજેતરમાં જ એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યુ હતું. આ બધું સ્ક્રિપ્ટેડ ડ્રામા હતું. આ બધું એનસીપી પર નિયંત્રણ જાળવી રાખવા માટે કરવામાં આવ્યું હતું. બીજેપી પ્રમુખ બાવનકુળેએ કહ્યું કે તેઓ એનસીપી પ્રમુખની આ રમતથી બધા સારી રીતે વાકેફ છે.

રિપોર્ટ્સ અનુસાર,પુણેમાં પાર્ટીના એક કાર્યક્રમમાં બાવનકુલેએ કહ્યું કે શરદ પવાર જેવા નેતા જે પાર્ટીના બંધારણમાં ફેરફાર કરીને પોતે રયાત શિક્ષણ સંસ્થાન સહિત અનેક સંસ્થાઓના અધ્યક્ષ બને છે. તેઓ પોતે કેવી રીતે બીજા કોઈને તેમના દ્વારા રચાયેલી પાર્ટીના અધ્યક્ષ બનવાની મંજૂરી આપી શકે છે.

આ સાથે બાવનકુલેએ એનસીપી ચીફ પર નિશાન સાધતા કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ત્રણ દિવસ સુધી જે કંઈ ચાલ્યું. આ બધું સિરિયલના એપિસોડ જેવું હતું. મને ખબર હતી કે શરદ પવાર પાર્ટીની અંદર ડ્રામા કરવા માગે છે.અને તેણે એવું જ કર્યું. આ સાથે બાવનકુલેએ કહ્યું કે ભાજપે ક્યારેય એનસીપી નેતા અજિત પવારનો સંપર્ક કર્યો નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં આ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સહિત મહા વિકાસ અઘાડી દ્વારા અજિત પવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પાર્ટીના આ જ કાર્યક્રમમાં બાવનકુળેએ કહ્યું કે હું કે અજિત પવાર છેલ્લા ચાર મહિનાથી એકબીજાના સંપર્કમાં નથી. તેમણે કહ્યું કે એમવીએ દ્વારા અજિત પવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે ક્યારેય અજિત પવારનો સંપર્ક કર્યો નથી. મીડિયામાં કે રાજકીય ગલિયારાઓમાં જે પણ સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તે બધા કાલ્પનિક છે. તેમને વાસ્તવિક્તા સાથે કોઈ લેવાદેવા નથી.