ગોધરામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન : દારુબંધીને લઈને સરકાર દંભ કરે છે, દારૂબંધી હટાવી દેવી જોઈએ.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજનીતિના ચાણક્ય કહેવાતા શંકરસિંહ વાઘેલા એ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ટૂંકી મુલાકાત લીધી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમને ભષ્ટ્રાચાર અને દારુબંધી પર સવાલો ઉઠાવ્યા હતા અને ભષ્ટ્રાચાર માટે પ્રજાજનોને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે દારુબંધીને સરકારનો દંભ ગણાવી હતી.

પંચમહાલ જિલ્લામાં પણ રાજકીય ચહણ પહલ વધી ગઈ છે ગોધરા શહેરની ટુંકી મુલાકાતે આવ્યા : શંકરસિંહ વાઘેલા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ રાજકીય ચહણ પહલ વધી ગઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગોધરા શહેરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. મીડિયા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી. ગોધરા મારા માટે ઐતિહાસિક ભૂમિ હોવાના ઉલ્લેખ સાથે એક ઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર માટે સરકાર નહીં પરંતુ પ્રજાજનો એટલા જ જવાબદાર છે કેમ કે પ્રજા હજુ ભ્રષ્ટાચારને પસંદ કરીને મતો આપે ત્યારે જ સરકાર બનતી હોય છે. ત્યારે પ્રજાજનોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મતદાન કરવું જોઈએ.

દારૂબંધીને લઈને તેમણે ઉમેર્યુ ક્હ્યું હતું કે, હું દારૂ નથી પીતો પરંતુ જે લોકો પીવે છે તેઓ સારો દારૂ પીવે આ માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ : શંકરસિંહ વાઘેલા

દારૂબંધીને લઈને તેમણે ઉમેર્યુ ક્હ્યું હતું કે, હું દારૂ નથી પીતો પરંતુ જે લોકો પીવે છે તેઓ સારો દારૂ પીવે આ માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ અને એની આવકમાંથી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અને સૂખાકારીઓને વધારવી જોઈએ. જો કે ગુજરાતમાં દારૂબંધીએ પોલિટિશિયન અને પોલીસની કમાણીનું એક સાધન છે અને પબ્લિકનું એમાં મોત છે એવી દારૂબંધીની દંભીનીતિને હટાવી દેવી જોઈએ. આગામી લોકસભાની ચૂંટણીને લઈને તેમણે ઉમેર્યું હતું કે, ચમકે એ સોનુ જ હોય એવું નથી. આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજાજનોએ પોતાનું સ્થાન ક્યાં છે એ નક્કી કરવાનું છે અને હું પોતે લોકસભા ચૂંટણી લડવાનો નથી તેમ જણાવ્યું હતું.