શહેરા નગર અને તાલુકામાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

શહેરા,શહેરા નગર અને તાલુકામાં હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગર વિસ્તારમાં સીતારામ પરિવાર દ્વારા હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

શહેરા નગર અને તાલુકામાં હનુમાન જયંતિ ને લઈને હનુમાન ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. નગર અને તાલુકામાં આવેલા હનુમાન દાદાના મંદિર ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી આવવા સાથે હનુમાન દાદાને સિંદૂર, તેલ અર્પણ કરીને તેમની આરાધના કરી હતી. જ્યારે સીતારામ પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હનુમાનજીની શોભાયાત્રામા સ્વામિનારાયણ મંદિરથી નીકળીને વ્યાસવાડા, મેઈન બજાર, સિંધી ચોકડી, અણીયાદ ચોકડી તેમજ બસ સ્ટેશન સહિતના અન્ય વિસ્તારોમાં ફરીને પરત રામજી મંદિર ખાતે આવી હતી. નગર વિસ્તારમાં નીકળેલી હનુમાન દાદાની શોભાયાત્રા દરમિયાન ભક્તિમય ગીતો વચ્ચે રામ ભક્તો ખુશીથી ઝૂમી રહયા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લીધો હતો.

શહેરામા હનુમાનજી ની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.