શહેરાના વલ્લભપુર ગામે એસ.ટી.બસમાંં આગ લાગતાં બળીને ખાખ થઈ

શહેરા,

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે ગોધરા વલ્લભપુર લોકલ એસટી બસમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ સંપૂર્ણ બળીને ખાત થઈ ગઈ હતી. જોકે, બસમાં એક જ મુસાફર મુસાફરી કરતો હોવા સાથે કંડકટર અને ડ્રાઇવરનો આબાદ બચાવ થવા સાથે કોઈ જાન હાની થઈ ના હતી. બનેલા બનાવને લઈને બસના ચાલકને પૂછતા તેને શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું.

Don`t copy text!