
હૈદરાબાદ, તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે છઝ્રમ્ની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે,એસીબીએ સરકારી અધિકારી પાસેથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે.એસીબીઅધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની ૧૪ ટીમોએ દિવસભર સર્ચ કર્યું હતું અને હજી ફરી શરૂ પણ સર્ચ થાય તેવી શક્યતા છે. બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓની જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
વિગતો મુજબ અત્યાર સુધીમાં લગભગ ૪૦ લાખ રૂપિયા રોકડા, ૨ કિલો સોનું અને મિલક્તના દસ્તાવેજો, ૬૦ મોંઘી કાંડા ઘડિયાળો, ૧૪ મોબાઈલ ફોન અને ૧૦ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી.એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે.એચએમડીએમાં સેવા આપ્યા બાદ તેણે સંપત્તિ મેળવી હોવાના અહેવાલ છે. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શક્યતા છે.