સરકાર ગરીબ પરિવારોને ૩૦૦ રૂપિયાની સબસિડીની રકમમાં વધુ વધારો કરી શકે છે

નવીદિલ્હી, મોદી સરકાર આગામી દિવસોમાં ગરીબ પરિવારોને સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં મોદી સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૪૦૦ રૂપિયાની સબસિડી મળવા લાગી છે. જો સૂત્રોનું માનીએ તો, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં માથાદીઠ સરેરાશ વપરાશમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને ૩૦૦ રૂપિયાની સબસિડીની રકમમાં વધુ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

મોદી સરકાર આગામી દિવસોમાં ગરીબ પરિવારોને સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં મોદી સરકારે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૪૦૦ રૂપિયાની સબસિડી મળવા લાગી છે. જો સૂત્રોનું માનીએ તો, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં માથાદીઠ સરેરાશ વપરાશમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને ૩૦૦ રૂપિયાની સબસિડીની રકમમાં વધુ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓને દિલ્હીમાં ૬૦૩ રૂપિયામાં ૧૪.૪ કિલો એલપીજી સિલિન્ડર મળે છે. તે જ સમયે, દેશમાં બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં ૧૨૦૦ રૂપિયાની આસપાસ છે, જે સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે.

તમને જણાવી દઈએ કે સબસિડી વગર એલપીજી સિલિન્ડર લખનૌમાં ૧૧૪૦ રૂપિયા, દિલ્હીમાં ૧૧૦૩ રૂપિયા, પટનામાં ૧૨૦૧ રૂપિયા, જયપુરમાં ૧૧૦૬ રૂપિયા, અમદાવાદમાં ૧૧૧૦ રૂપિયા અને મુંબઈમાં ૧૧૦૨ રૂપિયામાં મળે છે. જો કે, આ કિંમતો ભારતના પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા ઘણી ઓછી છે.એલપીજીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.તાજેતરમાં જ મધ્યપ્રદેશ , રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સિલિન્ડરની કિંમત રૂ. ૫૦૦ કરવાની ખાતરી આપી હતી. જો કે હજુ સુધી આ ચૂંટણી વચનનો અમલ થયો નથી. પરંતુ આગામી લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડરની કિંમતો ટૂંક સમયમાં ઘટાડવાની ચર્ચા છે. હાલમાં દેશમાં LPG ગ્રાહકોની સંખ્યા લગભગ ૩૩ કરોડ છે. ગયા વર્ષે જ, કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૭૫ લાખ વધુ એલપીજી કનેક્શન્સની યોજનાને મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે ઘણી રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારની સબસિડી ઉપરાંત એલપીજી પર સબસિડી આપવાનું શરૂ કરી દીધું છે. ગયા વર્ષે જ દિવાળીમાં, યુપીની યોગી સરકારે ઘરેલુ મહિલાઓને વધુ સશક્ત બનાવવા માટે વર્ષમાં બે વાર ૧.૭૫ કરોડ પરિવારોને મફત ઘરેલુ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં ૪૫૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી. જોકે, તાજેતરમાં રાજ્યસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રામેશ્ર્વર તેલીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં આવું કોઈ વચન આપ્યું નથી અને ન તો સરકાર આવી કોઈ યોજના લાવવાનો ઈરાદો ધરાવે છે. તે જ સમયે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ૧૦ પ્રાથમિક્તાઓમાં રાજ્યના ગરીબ પરિવારોને ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો પણ આ પ્રાથમિક્તાઓમાં સમાવેશ થાય છે.