સંતરામપુર વ્યાજખોર સામે ફરિયાદ : 27 લાખની સામે 68 લાખ વસુલ્યા છતાં ઉઘરાણી

સંતરામપુર,

કડાણાના માળ ગામના ધર્મેશભાઈ પટેલને અંગત કામ અર્થે સંતરામપુરના પ્રેમકુમાર ડબગર તથા પ્રિતભાઈ ડબગર પાસેથી 27.50 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા. જેની અવેજમાં રૂ.300ના કોરા સ્ટેમ્પ સહીવાળા અને કોરા ચેક લીધા હતા. ધર્મેશભાઈએ વ્યાજ સહિત 68 લાખ વ્યાજખોરોને આપી દીધા હતા. છતાં હજુ 20 લાખ બાકી છે કહી ઉઘરાણી કરતા હતા. પ્રેમભાઈ અને પ્રિતભાઈએ ધર્મેશભાઈ પાસે 20 લાખની ઉઘરાણી કરીને ધર્મેશભાઈના નામનો ફલેટનો દસ્તાવેજ, ધર્મેશભાઈના પિતાના કડાણા શાખાની બેંકના કોરા ચેક તથા પ્રિતભાઈના નામનો રૂ.300નો કોરા બે સ્ટેમ્પ લખાવી દીધા હતા. છતાં ઉઘરાણી કરીને હેરાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે બે વ્યાજખોરો સામે નોંધાવી હતી.