સંતરામપુર તાલુકાના ભંડારા ગામના સીઆરપીએફ પેરામિલેટ્રીના બારીયા શંકરભાઇ નિવૃત્ત જવાન સન્માન સમારંભ

બારીયા શંકરભાઈ ઈછઙઋમાં એટલે કે પેરામિલેટ્રીના જવાન જેમણે 45 વર્ષ દેશ સેવામાં ખુબ મોટું યોગદાન પછી નિવૃત્ત થઈ માદરે વતન આવેલ તેમના સત્કાર સમારંભમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત, પેરામિલેટ્રી સંગઠન તુલસીભાઈ મહામંત્રી અને વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, પટેલ નર્મદાબેન મહિલા પ્રમુખ ગુજરાત પ્રદેશ, વીરાભાઇ ઝોન પ્રમુખ ગુજરાત પ્રદેશ, રમણભાઈ મહીસાગર જીલ્લા પ્રમુખ, પર્વતભાઈ મહિસાગર જીલ્લા પ્રભારી, પાર્થિંગભાઈ સંતરામપુર તાલુકા પ્રમુખ દલપતભાઈ, પ્રભારી સંતરામપુર તાલુકા ફતીબેન મહિલા પ્રમુખ મહીસાગર જીલ્લા અને અન્ય પેરામિલેટ્રી / મિલેટ્રીના જવાનો તેમજ સગા સંબંધી આડોશી પાડોશી અને આજુ બાજુ વિસ્તાર ના નાગરિકો મોટા નાના પુરૂષો મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં જવાનને આવકારવા,આશીર્વાદ આપવા અભીનંદન પાઠવવા હાજર રહ્યા હતા.

પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન દ્વારા નિવૃત જવાનનું નિવૃત્ત જીવન સુખદાઈ નીવડે તેમજ આનંદ મંગલમય પસાર થાય તેવી તમાંમ સંગઠન તરફથી અભિનંદન પાઠવ્યા અને સમગ્ર નાગરિકો જે જવાનને હર્ષો ઉલ્લાસ થી આવકારવા જે કિંમતી સમય નીકળી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો અને નમન વંદન અને સૈનિક તરીકે સર્વેને સલામ કર્યા અને ખૂબ જ જીણવટ પૂર્ણ પેરામિલેટ્રી વિશે માહિતી આપી અને અન્યાય થઈ રહ્યો છે. તેને ન્યાય અપાવવા સર્વેને આ દેશ હિતના અભિયાનમાં જોડાવવા હાંકલ કરી અને હાજર નાગરિકો એ પણ જવાનો ના અભિયાન મા જોડાવવા હુંકાર ભરી.