સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં કચરો ભરેલ ટેન્કર ખાલી કરવામાં આળશ

સંતરામપુર, સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં કચરો ભરેલું ક્ધટેનર ખાલી કરવામાં નગરપાલિકાની આળસ જાહેરમાં કચરો ના ફેકાય તે માટે સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સ્થળો ઉપર ક્ધટેનર મૂકવામાં આવેલા હતા. પરંતુ ક્ધટેનર મૂક્યા પછી સંતરામપુર નગરપાલિકા ખાલી કરવામાં જરાય રસ લેતી જ નથી. પ્રતાપુરા વિસ્તારમાં આ ક્ધટેનર કચરાથી ભરાઈ જવાના કારણે અને ચારે બાજુ પશુઓ તેના મોઢા મારતા હોય છે અને ભારે દુર્ગંધ ચારે બાજુ ફેલાયેલું છે. આના કારણે રોગચાળાની પણ ભયભીતિ સેવાઈ રહેલી છે, તેમ છતાંય પાલિકા કામગીરી કરવામાં નિષ્ફળ જોવાઇ રહેલી છે. ઘણાં સમયથી આ ડસ્ટબીનની અંદર ખરાબ દુર્ગંધ હોવાના કારણે આજુબાજુના સ્થાનિક રહીશોને અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દિવસ પર મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસી રહેવું પડતું હોય છે, તેમ છતાં સંતરામપુર પાલિકા સફાઈ રાખવા માટેના સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગયેલી છે. આવી સામાન્ય કામગીરી કરવામાં પણ પાલિકાની જરાય રસ જોવાતો નથી. વહેલી તકી ધોરણે નગરમાં મૂકવામાં આવી રીતે કચરાથી ઉભરાત ક્ધટેનરોને ખાલી કરવામાં આવે અને સ્વચ્છતા રાખવામાં આવે કોઈ લોક માંગ ઉભી થઈ હતી.